Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Friday, February 28, 2020

Jadu na prayog.....

Jaadu na prayog.....

ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે, સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
      આ અંતર્ગત પ્રા શાળા વાવડીમા આજે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં સીઆરસી શ્રી સુનિલભાઈ અને વિજ્ઞાન શિક્ષક શ્રી  અકિલભાઇ નિર્ણાયક તરીકે આવી શાળા નાં બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો..આ વિજ્ઞાન મેળામાં 30 કૃતિ રજૂ કરવામાં આવી હતી.અને અંતમાં જાદુના પ્રયોગ બતાવવામાં આવ્યાં હતાં..જેની ઝાંખી....








1 comment:

  1. ખૂબ સરસ તથા નવીનતમ કાર્ય કરો છો સાહેબ.કદાચ સી.વી.રમન તમારી ઉંમરના હશે ત્યારે તમારી જેમ જ પ્રવૃત્તિવાન હશે.

    ReplyDelete

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...