બાળમેળો એ ભાગ લેનાર બાળકો માટેની આનંદયાત્રા છે. તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે. બાળમેળા એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. આ પ્રકારના બાળમેળા જીસીઇઆરટી દ્વારા ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળામાં યોજાય છે. પરિણામે નાંમાકન, સ્થાયી કરણ અને ગુણવત્તા સુધારણા વધવા પામી છે.
બાળમેળાનો હેતુ:
બાળકોની ક્રિયાશીલતાને પોષાય
બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય
બાળકોની સામૂહિક ભાવના વિકસે
બાળકોની સર્જનવૃત્તિ સંતોષાય
બાળકોની વિચારશકિત વિકસે
બાળકો અંતઃતૃપ્તિ અનુભવે
બાળકોનો આત્મવિશ્વાસ વધે
બાળકોને અભિવ્યકત થવાની તક મળે
વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઇ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે
બાળમેળાની પ્રવૃત્તિ:
ગીત - સંગીત – અભિનય, બાલરમત, બાલવાર્તા, બાલનાટક, માટીકામ, છાપકામ, ચિત્રકામ, રંગપૂરણી, ગડીકામ,કાતરકામ, ચીટકકામ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, જાદુનગરી, ભાષા-ગણિત શિક્ષણ, પપેટ શોવ......
આજ રોજ પ્રા.શાળા વાવડીમાં યોજાયો બાલમેળૉ અને સ્ટીક પપેટ શો....
આજ રોજ પ્રા.શાળા વાવડીમાં યોજાયો બાલમેળૉ અને સ્ટીક પપેટ શો....
No comments:
Post a Comment