Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Thursday, August 22, 2019

26 august

મધર ટેરેસા

મધર ટેરેસાનો જન્મ ૨૬મી ઓગસ્ટ, ૧૯૧૦ માં થયો હતો. તેમનું નામ આગ્નેશ હતું. તેમને નાનપણથીજ સારા સંસ્કાર મળ્યા હતા. તેમને પોતાનું જીવન પ્રભુ ઈસુના ચિંધેલા માર્ગે જીવવું હતું. અઢાર વર્ષની ઉમરે તે લોરેટો મંડળમાં દાખલ થયા ત્યારે તેમને લોરેક્ષના સંત ટેરેસાનું નામ પસંદ કર્યું. તેમને ડબ્લીનમાં તાલીમ પૂરી કરી અને ૧૯૨૮માં તે ભારત આવ્યા. કોલકતાની કોન્વેન્ટ સ્કુલમાં તે છોકરીયોને ભણાવતા. પરંતુ કોલકતાના ગરીબ, માંદા લોકોની પરિસ્થિતિથી તે પુરેપુરા વાકેફ હતા. તેમની સેવા કરવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. ૧૯૪૬માં તે રિટ્રીટ-પ્રાથના માટે દાર્જીલિંગ જતા હતા ત્યારે તેમને અંતરાત્મા નો સાદ સંભળાયો, 'મારે આ દુખીજનોની, ગરીબોના ગરીબની સેવા કરવી જોઈએ. ત્યારથી મિશનરીઝ ઓફ ચેરિટી શરૂઆત થઇ. તેમને કાળી માતા ના જુના મંદિરના પટાંગણમાં માંદા અને તરછોડાયેલા લોકોને આશરો આપવનું શરુ કર્યું.
તે ભીખ માંગીને ખોરાક અને દવા લાવતા.એક વાર એક વેપારીએ મધર ટેરેસાને પૈસા કે મદદ આપવાને બદલે તેમના હાથ પર થુંકયા પરંતુ મધર ટેરેસાએ તેમને કહ્યું,'આ થૂક તો મારા માટે આપ્યું હવે આ બીમાર લોકો માટે કંઈક આપો.' અને પેલા વેપારીનું મન બદલાઈ ગયું. આમ, મધર ટેરેસા સર્વે કાઈ બીજા માટે કરતા.બીજા એક પ્રસંગે તેમને એમના એક મિત્રે કહ્યું, 'મને તમે પુષ્કળ પૈસા આપો તો પણ હું આ સળી ગયેલા, રક્તપિતથી પીડાતા માણસને ન અડું.' મધર ટેરેસાએ કહ્યું 'હું પણ ના અડું, પણ હું આ બધું ઈસુના પ્રેમને લીધે કરું છું, અને કરીશ.' મધર ટેરેસા દરેકમાં પ્રભુ ઈસુને જોતા અને તેમની સેવા કરતા. તેમને ૫ મી સપ્ટેમ્બર,૧૯૯૭માં ચીરવિદાય લીધી. આજે પણ તેમનું જીવન ઘણાને પ્રેરણા આપે છે, હાલ એમના મંડળમાં ઘણા સીસ્ટરો ઘણા દેશોમાં તેમનું સેવાકાર્ય આગળ ધપાવવા પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...